રવિવાર, 13 જૂન, 2010

ટાકોસ, પિત્ઝા, ફ્રેંચ ફ્રાઇઝ, કાપુચીનો, કસાટા..અને ખીચડી

Ashvin V. Mahyavanshi
ગુજરાતીઓ શરૂથી જ મઘ્યમાર્ગી પ્રજા હતી, રોટલી અને ભાત બન્ને ખાતા હતા, હિંદુસ્તાનના નકશામાં વચ્ચે જ હતા. હવે આપણે દુનિયા ફરતા થઇ ગયા છીએ અને ટી.વી. આખી દુનિયાને આપણા ડ્રોઇંગરૂમમાં ખંખેરી નાખે છે.

Takos Pizza French Kasata and Khichadiગુજરાતી મઘ્યવર્ગોમાં એક અદ્રશ્ય ક્રાન્તિ કિચનમાંથી, બેડરૂમમાંથી ડ્રોઇંગરૂમમાં ફેલાઇ ચૂકી છે. હવે આપણે માત્ર રોટલીદાળભાતશાકના લેબલ નીચે ફિટ થઇ જનારી પ્રજા નથી. ગુજરાતીઓ શરૂથી જ મઘ્યમાર્ગીપ્રજા હતી, રોટલી અને ભાત બન્ને ખાતા હતા, હિંદુસ્તાનના નકશામાં વચ્ચે જ હતા. હવે આપણે દુનિયા ફરતા થઇ ગયા છીએ અને ટી.વી. આખી દુનિયાને આપણા ડ્રોઇંગરૂમમાં ખંખેરી નાખે છે. આપણો ખોરાક ધીરે ધીરે, અને નવું નવું ખાવાનો શોખ ઝડપથી બદલાઇ રહ્યા છે. પંજાબી અને મુઘલાઇમાંથી આપણે ચાઇનીઝ વેજિટેરીઅન મંચુરીઅન અને સ્પ્રિંગ રોલ્સ પર પહોંચી ગયા, ત્યાંથી ઇટાલીઅન પિત્ઝા! પિત્ઝા પરથી મેકિસકન ટાકોસ અને ઇઝરાયલી ફલાફલ સુધી. અને શુદ્ધ ગુજરાતી છીએ એટલે ચાઇનીઝમાં પણ પાપડ અને પિત્ઝામાં પણ જૈન પિત્ઝાની ગડબડી કરતા રહીએ છીએ.

ગુજરાતી પતિ રસોડામાં તદ્દન નકામો છે, ડ્રોઇંગરૂમમાં જેન્ટલમેન છે, બેડરૂમમાં એ ઇન્કમટેક્સની ફાઇલો સાથે આખું વર્ષ રોમાંસ કરી શકે છે. ફક્ત ડાઇનિંગ ટેબલ પર એ એની મમ્મીના ઘરમાં શીખેલી બધી જ મસ્તીઓ અજમાવતો રહે છે (અમારા ગુજેશને રોટલી તો ગરમગરમ જ જોઇએ... કેરીની સિઝનમાં રસ વિના ચાલે નહીં... અને ફોદીનો ભાવતો નથી...)

આપણા ખોરાકમાં ચીઝનો ઉપયોગ વઘ્યો છે, આપણે ઘરમાં કોફી પીતા શીખી રહ્યા છીએ. હવે ડીસર્ટમાં ક્રીમ વિથ સ્ટ્રોબેરી છે. અંગૂર તો અમે જહોનસન્સ સીડલેસ જ લાવીએ છીએ. હાફૂસને ફ્રિજમાં ઠંડી કરીને પછી ખાઓ... જુઓ કેવી મજા આવે છે? ગુજરાતી કિચનો હવે લેબોરેટરી બનવાના માર્ગ પર છે અને હજારો મિની તરલા દલાલોનો એમના ગિનિપિગ હસબન્ડો પર નવાં નવાં વ્યંજનોના પ્રયોગો ફટકારવાનો મારો ચાલુ છે. પતિ પરમેશ્વરો કારેલાં અને આંબલીના રસનું કોકટેઇલ ગટગટાવી ગયા હોય એવા ‘ફ્રેશ’ લાગી રહ્યા છે.

ઉત્તર અમેરિકામાં જન્મેલું સૂર્યમુખી વિશ્વભરમાં ફેલાઇ ગયું અને આપણે એના તેલનો વ્યવહાર કરીએ છીએ. મઘ્ય અમેરિકાથી કોકો અને પપૈયાં અને ટોમેટો આવ્યાં. એગ્રોનોમિસ્ટો અથવા કૃષિતજજ્ઞોએ શોધી કાઢ્યું કે દક્ષિણ અમેરિકાના પર્વતોવાળા ઉચ્ચ પ્રદેશોમાંથી બટાટા આવ્યા, અને મૈદાની દક્ષિણ અમેરિકાએ દુનિયાને મગફળી અને અનનાસ આપ્યાં. ભૂમઘ્ય સમુદ્રની હવામાંથી કોબીજ, અંગૂર, ઓલિવ અને ઓટ જગતને મળ્યાં. યુરોપમાં રાસબેરી, બીટ અને રાય (આપણી રાઇ નહીં)નો જન્મ થયો હતો.

આફ્રિકા કોફી અને તરબૂચનું ઉત્પત્તિસ્થાન છે એવું મનાય છે. મઘ્યપૂર્વની ધરતી પરથી મનુષ્યને શું શું મળ્યું? પ્યાજ, દાડમ, પેર, વટાણા, અંજીર, ખજૂર. પાસિફિક સમુદ્રના કિનારાએ નાળિયેરી આપી. દક્ષિણ ચીન અને અગ્નિ એશિયામાં પ્રથમ લીંબુ, કેળાં, ચા શોધાયાં અને હિંદુસ્તાને વિશ્વને શું આપ્યું? આમલી, જાંબુ, શેરડી, બોર, કેરી, શણ, કપાસ...

આજે ઇઝરાયલમાં બી વગરનાં તરબૂચ કે કલિંગર પૈદા થાય છે. જે દક્ષિણ અમેરિકાએ આપણને આટલું બધું આપ્યું છે ત્યાં હવે નવી નવી શાકભાજીઓ શોધાઇ રહી છે. એક જમાનામાં ટમાટાં ઝેરી ગણાતાં હતાં, આજે ટમાટાં જેવું જ પેપીનો બજારમાં આવ્યું છે. જાંબલી રંગના બટાટા આવ્યા છે, જેમાંથી બ્લુ રંગના ફ્રેંચ ફ્રાઇઝ (બટાટાની કતરી) બને છે. એક દિવસ એવો આવશે કે વૈજ્ઞાનિકો લાલ, લીલા, કેસરી રંગનાં શક્કરિયાં બજારમાં મૂકશે! અને નવી શાકભાજીઓ, જેનાં નામો પણ આપણે સાંભળ્યાં નથી: ચુન્યોસ, ચેરીમોયા, યુકાસ વગેરે. દક્ષિણ અમેરિકાના એન્ડીસ પહાડમાં એક એવાં મરી ઊગે છે જેને અજી કહેવાય છે (આપણા અજમાનો પૂર્વજ?).

એક વનસ્પતિ કે ફળને આજનું સ્વરૂપ પ્રાપ્ત કરતાં ઘણી વાર સેંકડો વર્ષો લાગી જતાં હોય છે. એલ્ફોન્ઝો(હાફૂસ) અને પરેરા(પાયરી) કેરીઓનાં નામો પોર્ટુગીઝ હતાં. પણ કલકત્તાની ગુલાબખાસ કેરીનું નામ કેવી રીતે આવ્યું? કહેવાય છે કે પ્રિન્સ અન્વર શાહની બેગમો શુદ્ધ ગુલાબજળથી નહાતી હતી અને સ્નાન પછીનું ગુલાબજળ નવાબની આમ્રકુંજોમાં વહાવી દેવાતું હતું. એટલે ગુલાબખાસ નામ પડ્યું અને એ કેરીઓનો લાલ ગુલાબી રંગ આવ્યો અને ગુલાબખાસમાંથી કેરીની સાથે ગુલાબનાં ફૂલની ખૂશબો પણ આવે છે!

ખોરાક એ આપણે ધારીએ એવી અગંભીર બાબત નથી. શિખંડ કોણે શોઘ્યો, ગુજરાતે કે મહારાષ્ટ્રે? શ્રીખંડ અને શિખંડ બે જુદી વસ્તુઓ છે? જલેબી અરબી છે, અમૃતી હિંદુ છે અને પેરિસમાં એક ઉત્તર આફ્રિકન સ્ટોરમાં મેં ‘જલેબિયા’ નામની આપણી જલેબી જેવી મીઠાઇ જોઇ છે. ચકલી, ભાખરવડી, સાલમપાક નામો ક્યાંથી આવ્યાં? પૂરણપોળી કે વેઢમી ગુજરાતી છે કે મહારાષ્ટ્રીઅન છે? હમણાં સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં ચીનાઓ અને ઇટાલીઅનો વચ્ચે ખરેખર દંગલ થઇ ગયું હતું. ચીનાઓનું કહેવું હતું કે પિત્ઝા ૧૩મી સદીમાં ચીનાઓએ શોઘ્યો હતો.

ઇટાલીઅનોનું વિધાન હતું કે ઉત્તર ઇટલીની એટ્રુસ્કન પ્રજાએ પિત્ઝા બનાવ્યો હતો. અને કોર્ટરૂમમાં ચીનાઓ ૧૯૮૭માં આવા જ મુદ્દા પર હારી ગયા: સ્પીધેટી કોણે શોધી? ચીને કે ઇટલીએ? તો નૂડલ્સ કોણે શોઘ્યાં? કોર્ટમાં આ કેસો ચાલ્યા. ઊલટતપાસો થઇ. પિત્ઝામાં સોયા સોસ કેમ નખાતો નથી, બોલો? ચીનાઓ પાસે ઓવન હતાં જ નહીં, એ લોકો તો દરેક વસ્તુ સ્ટીમ કરતા હતા...

એપલ પાઇ અમેરિકન છે અને કડાઇ ગોશ્ત અફઘાન છે. મીન્ટ ટી ચીની છે. તહેરાનની રેસ્ટોરાંમાં ગુલાબજળ છાંટેલા આઇસક્રીમ મળે છે. તુર્કસ્તાનમાં અંગૂરનાં પાંદડાઓમાં પકાવેલા ચાવલ મળે છે અને સમોસાંમાં ચીઝ અને પનીર ભરેલાં હોય છે. અને આપણો કસાટા આઇસક્રીમ મૂળ નેપલ્સથી આવ્યો છે? કહે છે કે નેપોલિયનને કસાટાનો શોખ હતો. એસ્પ્રેસો કોફી તો બધાએ પીધી હશે પણ ઉપર તજનો ભૂકો ખંખેરેલી ઇટાલીઅન કાપુચીનો કોફી પીધી છે?

રોટલીદાળભાતશાક એ આપણો ભૂતકાળ છે. એ દિવસો હતા જ્યારે એક ઓલો હતો કે એક ચૂલો હતો અને માટીના વાસણમાં કઢી ઊકળતી હતી અને ખીચડી મુકાતી હતી. હવે માઇક્રો-ઓવનમાં ખીચડી ગરમ થઇ જાય છે અને કઢી ઊકળી જાય છે. રોટલીને માટે હવે મેક્સિન નામો વાપરવાથી જીભમાંથી સ્વાદો છૂટે છે. બધું બદલાશે, મોહનિયો મોન્ટી બની જશે, પણ ગુજરાતી ડાઇનિંગ ટેબલ પર બે વસ્તુઓ શાશ્વત છે: છાશ અને લીલાં મરચાંનું અથાણું!

ભોપાલ ગેસકાંડ

ભોપાલ ગેસકાંડ : ગુનેગારોને કોણે છાવર્યા?


Bhopal gas survivors hold candlelight vigilચોર ચોરી કરે એ માટેની નિસરણી પકડનારા પણ સરખા જ ચોરંટા ગણાય

કવિ ઈમરસને તેના જમાનામાં એક કહેવત વહેતી કરેલી (૧૮૪૧) કે ‘કોઈ પણ ગુનો કરો તે છુપો રહેતો નથી. પૃથ્વી કાચની બનેલી છે તમારા બધા ગુના દેખાય છે. તેમાંથી છટકી શકાય નહીં.’ કવિ મહાશય! આ ૨૧મી સદી છે અને હૃદયવિહીન કોર્પોરેટ કલ્ચરના અમેરિકનો આ પૃથ્વી ઉપર છવાયા છે, તે કંપનીના બડેખાઓ ગુના કરીને આબાદ છટકી જાય છે. મારા કમનસીબ છે કે ૨૬ વર્ષ પહેલાં છપ્પનની ઉંમરે ભોપાલમાં યુનિયન કાર્બાઇડના પેસ્ટિસાઇડઝના પ્લોટમાંથી ઝેરી વાયુ છુટયા અને નજીકમાં ટપોટપ મરનારા લોકોને મારે અને ભરત ઘેલાણીએ નજરોનજર જોવા પડેલા. આજે તે ભૂલી જવા જેવી ટ્રેજેડીને ભારતની (અ) ‘ન્યાય કોર્ટે’ ફાલતુ સજાઓ કરીને ફરી ડબલ બળતરા સાથે ટ્રેજેડીને યાદ કરાવી છે.

કેશવ મહિન્દ્ર પણ આ ગંદી કંપનીને હાથ લગાવવા ગયા તેમાં નાહકના દંડાઈ ગયા છે, પણ તેણે જર્મન કહેવત યાદ રાખવી જોઈતી હતી કે ‘હી હુ હોલ્ડઝ ધ લેડર ઈઝ એઝ બેડ એઝ ધ થીફ.’ ચોરને ચોરી કરવા માટે નિસરણી પકડે છે તે ચોર જેટલો જ ગુનેગાર છે. પણ યુનિયન કાર્બાઇડ ચોર તો છે, પણ તેને ખરીદનાર ડાઉ કેમિકલ્સ માત્ર ચોર નથી, પણ નાગા ચોર-નાગા ગુનેગાર છે! ભોપાલના આ ગેસકાંડમાં ૧૫૦૦૦ લોકો મરી ગયા અને બે લાખ લોકો ગેસના ઝેરથી પીડાય છે. તે કાંડ વખતે મધ્યપ્રદેશનું અસ્થિર રાજકારણ અને વર્ષે કે છ મહિને બદતમીઝ કોંગ્રેસસીઓ મુખ્ય પ્રધાન બદલતા હતા.

૧૯૫૬થી ૧૯૮૦ સુધીમાં ડઝન મુખ્ય પ્રધાનો બદલાયા પછી અર્જુનસિંહ બરાબર ૩૦ વર્ષ પહેલાં આ લખું છું તે દિવસે (૮/૬) મુખ્ય પ્રધાન થયા. તેમણે કોંગ્રેસસીઓને ભ્રષ્ટ આચરણ કરવાની મોકળે હાથે છુટ આપી અને સાથે ઉદ્યોગપતિઓને વહાલા થઈ સરકાર ટકાવી રાખવા ભોપાલમાં યુનિયન કાર્બાઇડના ગુનાને છાવરવામાં તમામ શક્તિ કામે લગાડતાં કોંગ્રેસસની કોથળી છલકાવવા માંડી. અમે ભોપાલમાં જે જે સરકારી સચિવ કે પોલીસ ઓફિસર કે ન્યાયતંત્રના માણસને મળતા તે કહેતા કે દિલ્હીની સરકાર અને અર્જુનસિંહ તેની તમામ શક્તિ મલ્ટિનેશનલ કંપનીઓને બચાવવા જ વાપરે છે. યુનિયન કાર્બાઇડના તે સમયના અમેરિકન વડા વોરન એન્ડરસન જ નહીં પણ પછી ડાઉ કંપની જેણે આ કંપની ખરીદી લીધી છે તેણે અમેરિકન સરકાર અને ભારત સરકાર સાથે વગ વાપરી.

ડાઉ કંપની એ તો ૨૦૦૬માં વોશિંગ્ટન ખાતેના ભારતીય એલચીને લખ્યું કે ‘જો ભારતના ચળવિળયા ભોપાલ ગેસ લોકો અંગે વળતરના કેસમાં જિદ્દી બનશે તો વિદેશના રોકાણકારો ભારતમાં નહીં આવે! એટલે અમને ખાતરી આપો કે આ કેસને કાનૂની રીતે લંબાવાશે નહીં!’ બોલો! આનાથી વધુ નાગાઈ તમે જોઈ છે? અને આપણો દેશ અને ખાસ તો કોંગ્રેસસીઓ એટલા બધા અમેરિકનોને વેચાઈ ગયા છે કે ૧૫૦૦૦નાં ‘ખૂન’ માટે જવાબદાર એવી યુનિયન કાર્બાઇડને વેચાતી લેનાર કંપની ડાઉ કેમિકલ્સ ભારતમાં લીલાલહેર કરે છે અને ભોપાળ ગેસપીડિતોને એક પાઈ આપવા તૈયાર નથી. જર્મની કે ફ્રાંસ હોય તો આવા ગંદા અને ક્રૂર ભૂતકાળવાળી ડાઉ કંપનીને પોતાના દેશનું આંગણું ચડવા પણ ન દે. પણ ભારતમાં અર્જુનસિંહના સમયથી કોંગ્રેસસનો ભ્રષ્ટાચાર ચાલ્યો આવે છે. સપ્ટેમ્બર -૨૦૦૦માં ડાઉ કંપનીએ જગતમાં ખુશાલી વ્યક્ત કરી કે અમે ભારતમાં અમારા પગ પહોળા કરીએ છીએ.

આજે મુંબઈમાં તમે વીએન પુરવ રોડ ઉપર ડાઉ કેમિકલ ઇન્ટરનેશનલ્સનું બોર્ડ જોશો. ડાઉ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. પણ ઘૂસી છે. સ્ટાયરોન, પોલસ્ટિરીન રેઝીન્સ, કાગળ, એથીલેમાઇન્સ નામના કેમિકલ્સ અને ફાર્મસી માટેની કાચી પેદાશોનો ભારતમાં ડાઉ કંપની વેપાર કરે છે. જો ભારતની જગ્યાએ જર્મની હોત તો ડાઉ કેમિકલ્સની તમામ અસ્ક્યામતો-તેનો વેપાર જપ્ત કરત. ભારતમાં શું છે? ડો.. મનમોહનસિંહ જેમની સરકાર પવારના સહકારથી કાચા પાયા ઉપર રચાયેલી છે તે આજે ડાઉ કેમિકલ્સનો ૫૦ કરોડ ડોલરનો વેપાર ભારતમાં કરવા દે છે. આજે પણ સ્કોટ વ્હીલર નામનો કંપનીનો પ્રવકતા સતત કહ્યા કરે છે કે ‘ભોપાલના પ્લાન્ટમાં બન્યું તે માટે અમે જવાબદાર નથી!’ આ ડાઉ કેમિકલ્સ કંપની એટલી જંગી છે કે ચારેકોર પોતાને પ્રામાણિક અને ઉમદા પ્રમુખ તરીકે ખપાવનાર પ્રમુખ બરાક ઓબામા પણ કંઈ કહી શકે નહીં, કારણ કે તેની ચૂંટણીમાં આ બધી જંગી કંપનીઓએ નાણાં આપ્યાં છે.

૧૯૬૬થી વ્યાપાર જગતના પત્રકારત્વના અનુભવ પરથી કહી શકું કે અમેરિકાની એકેએક મલ્ટિનેશનલ કંપની જે ભારતમાં કામ કરે છે તે બધી જ બદમાશ છે. ‘ધ ન્યૂ યોર્કર’ નામના પ્રબુદ્ધ સાપ્તાહિકના પત્રકાર ડાઉ કેમિકલ્સ અને યુનિયન કાર્બાઇડના ધુરંધરોને મળ્યા. તેમને શું કહ્યું જાણો છો? ‘અમારે કંપનીઓએ મહત્તમ નફો કરીને શેરહોલ્ડરોનાં હિત જોવાનાં હોય છે.’ (બીજા શબ્દોમાં ભોપાલના ગેસપીડિતો જાય જહન્નમમાં) જહોન કોએલ નામના વિખ્યાત વોશિંગ્ટનના વકીલ જે આવા કેસોમાં પીડિતોને અબજો ડોલરના વળતર અપાવે છે તેણે ભોપાલના અકસ્માતનો કેસ વોશિંગ્ટનમાં ટેક્સીમાં જતા હતા ત્યાં સાંભળ્યો. તે ભોપાલ દોડી આવ્યા. પણ શું થયું? તે સમયની અર્જુનસિંહની નાલાયક સરકાર અને કેન્દ્રની કોંગ્રેસસ સરકારે પરખાવી દીધું કે આ કેસમાં અમેરિકન વકીલોને પેસવા નહીં દઈએ.

ડાઉ કેમિકલ્સના ધર્માદાનાં નાણાં ખાનારી મધર ટેરેસાએ તો કહેવા માંડ્યું, ‘ફરગિવ ફરગિવ.’ આ કંપનીને પોતે ધર્માદાશીલ છે તે બતાવવા કેટલાક લંગડા લોકોને જયપુરમાં બનતા કૃત્રિમ પગ બેસાડવાના દાન આપીને ભારતની દયા ખાધી છે. શરમ છે! જ્યાં રૂ. ૨૦૦ અબજ આપવા જોઈએ ત્યાં રૂ. ૨૦૦ના કૃત્રિમ લાકડાના પગના દાન કરે છે! ડાઉ કેમિકલ્સની ટીકા કરતી વખતે અમારે સાવધાન રહેવું પડે. તમે જાણો છો, ડાઉ કંપનીનો અમેરિકાની સિકયુરિટીઝ એન્ડ એક્સચેંજ કમશિન નામની વોલ સ્ટ્રીટની દેખરેખ રાખનારી સંસ્થાએ રૂ. દોઢ કરોડનો દંડ કર્યો હતો? ડાઉ કેમિકલ્સ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ હતો. ડાઉ કેમિકલ્સની ડી-નોસિલ નામની પૂર્ણ માલિકીની કંપનીએ ભારત સરકારના ઓફિસરોને રૂ. ૧ કરોડની લાંચ આપેલી. ૧૯૮૩થી આજ સુધી મધ્યપ્રદેશની અને ભારત સરકારની બ્યુરોક્રસી ભ્રષ્ટ છે. તમે જાણો છો કે ડાઉ કેમિકલ્સ ઈનસેકટીસાઇડઝ અને ખેતીવાડીનાં જંતુ ટાળવાનાં પેસ્ટિસાઇડઝ બનાવી વેચે છે? આ જંતુઘ્ન દવા હાનિકારક છે કે નહીં તેનું ધ્યાન ભારતમાં સેન્ટ્રલ ઈનસેકટીસાઇડઝ બોર્ડ રાખે છે.

આ બોર્ડ ડાઉ કંપનીને હાનિ કરે તેવા નિયમ ન કરે તે માટે ઈનસેકટીસાઇડ બોર્ડના સિનિયર ઓફિસરોને જંગી લાંચ આપતા પકડાયા હતા (જુઓ ‘ડાઉન ટુ અર્થ’ મેગેઝિનનો ૨૪-૧૧-૦૯નો અંક). આવા તો ડાઉ કેમિકલ્સ નહીં પણ મોનસાન્ટો તેમજ કોકાકોલા કંપનીનાં ઘણાં પાપ છે, પણ તેનાં પાપની નીસરણી પકડનારા આપણા પ્રધાનો અને ઓફિસરો જ છે.

આ ગલે લગ જા !!!

આ ગલે લગ જા !!!
જ્યારે માણસ પહેલી વખત બીજા માણસને મળે છે ત્યારે એકબીજાને હસ્તધનૂન કરીને અભિવાદન કરે છે, જ્યારે કેટલિક વખત તેઓ એક બીજાને ગળે પણ મળતા હોય છે. પણ જ્યારે ગોરિલા એક બીજાને મળે છે ત્યારે તે કેવી રીતે અભિવાદન કરે છે ? જૂઓ નીચેની તસવીરો.








__._,_.___

કૈસે કહું મૈ કિતના બેચૈન હું તૂજ બિન, કૈસે કહું મૈ દિલ સે બેચૈન હું તૂજ બિન,

કૈસે કહું મૈ કિતના બેચૈન હું તૂજ બિન,
કૈસે કહું મૈ દિલ સે બેચૈન હું તૂજ બિન,



ઇક પહેલી સી રોજ દિખાઇ દેતી હૈ મૂજકો,
સૂલઝાના ચાહતા હૂં, કૈસે સૂલઝાઊ તૂજ બિન,



બાદલોં સે ગિરતી હૈ બુંદે ,
દિલ મૈ કૂછ આસાર સા દિખાતી હૈ,
તુટ પડેગી અભી છમ સે તુ
આશીયાં છૂપને કા બતાતી હૈ તુ.



ઝિલમિલ સિ નદીયાં બહેતી હૈ ફીકી તુજ બિન,
કૈસે કહું મૈ કિતના બેચૈન હું તૂજ બિન....



સૂર્ખ પત્તોં કિ સરસરાહટેં,
સાવન કા રોજ માહોલ બનાતી હૈ,
આજ દિલ કિ એક આરઝૂ હૈ તુ,
અહેસાસ પાને કા બતાતી હૈ તૂ,



આશ તેરે મિલનેકી લેકે ઘૂમતા હું રાતદિન,
કૈસે કહું મૈ કિતના બેચૈન હું તૂજ બિન....



કૈસે કહું મૈ દિલ સે બેચૈન હું તૂજ બિન.....

ગરીબ હોવા કરતાં ગરીબ હોવાનો અહેસાસ વધુ ખતરનાક છે.‘

ધનવાન હોવાનો અહેસાસ

अश्विन व्.म, Rich Life
Rich type feelingsઆકર્ષણના સિદ્ધાંત મુજબ તમારા મનમાં જેવી લાગણીની અનુભૂતિ કે અહેસાસ ચાલુ હોય તેવા જ સંજોગો, ઘટનાઓ, લોકો અને વસ્તુઓ તમારા તરફ આકર્ષાય છે. આપણે મની મેગ્નેટ બનવું છે. એ તો જ બની શકાય જો આપણે સતત ધનવાન હોવાનો અહેસાસ કર્યા કરીએ. આ અહેસાસ સમૃદ્ધિના વાઇબ્રેશન ઉત્પન્ન કરે છે અને એને પ્રસારિત કરે છે, જે વળતા જવાબમાં સમૃદ્ધિને તમારા તરફ ખેંચી લાવે છે.

ગરીબ કેમ વધુને વધુ ગરીબ બનતો જાય છે અને અમીરો કેમ વધુ અમીર બનતા જાય છે? જે માણસ ગરીબ છે, ગરીબીમાં જીવે છે એના મનમાં સવારથી લઇને સાંજ સુધી જાણ્યે-અજાણ્યે સ્વાભાવિક પણે જ અછતની લાગણી જ ચાલુ હોય. ચોવીસ કલાક નજર સામે જ રહેતી કંગાલીયત મનમાં સતત ‘અછત’ની લાગણી જન્માવે છે અને એનું જતન કર્યા કરે છે.

આ અછતની લાગણી અછતના વાઇબ્રેશન પ્રસારિત કરે છે જેના પ્રતિસાદરૂપે વધુ અછત આકર્ષિત થાય છે અને સરવાળે એ ગરીબ વધુને વધુ ગરીબ થતો જાય છે. ગરીબ ઘરમાં જન્મ લેવો તે કદાચ અકસ્માત હોઇ શકે પણ ગરીબ ઘરમાં મૃત્યુ પામવું તે જાગૃતિપૂર્વકના કર્મનો અભાવ સૂચવે છે.

જે માણસ અમીર છે, એ સતતપોતાની આસપાસ શું જુએ છે? બંગલો છે, ગાડી છે, નોકર-ચાકર છે, લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ છે, જે વસ્તુ જોઇએ તે હાજર છે અને પોતાના જેવાં જ લોકો સાથે રોજનો સંપર્ક છે એમને ત્યાં પણ બધું જ છે. ચોવીસે કલાક નજર સામે રહેતી સમૃદ્ધિ મનમાં ‘સમૃદ્ધિ’ની લાગણી જન્માવે છે, જે સમૃદ્ધિના વાઇબ્રેશન પ્રસારિત કરે છે, જે જવાબરૂપે એની જિંદગીમાં વધુ સમૃદ્ધિને આકર્ષે છે. જરૂર ન હોય તો પણ. માટે જ અમીર વધુને વધુ અમીર બનતો જાય છે.

તમે જોયું? અહીં આપણી જરૂરિયાતનું કોઇ મહત્વ જ નથી. બોલબાલા માત્ર આપણી લાગણીઓની જ છે, આપણાં અહેસાસની છે! તમારા પોતાના જ અનુભવોને યાદ કરો ને! જે દિવસે સવારથી બેચેનીની લાગણી થતી હોય એ દિવસે બેચેન થઇ જવાય એવી જ ઘટનાઓ લગભગ બનતી હોય છે અને જે દિવસે મનસુખ મુડમાં હોય એ દિવસે એને મુડમાં રાખે એવી જ ઘટનાઓ બન્યા કરતી હોય છે. માટે એ સમૃદ્ધિ જોઇતી હોય તો આ ક્ષણથી જ સમૃદ્ધ હોવાનો અહેસાસ જગાડવો પડે. ‘મારે જોઇએ છે’ એવી વાત હાલમાં અછત છે એવી એક છુપી લાગણી જગાવે છે. માટે જ ધનના ભિખારીઓ તો ધનવાન બની શકે છે પણ મનના ભિખારીઓ ક્યારેય ધનવાન નથી બની શકતા.

તમારે જે જોઇએ છે તે હાલમાં તમારી પાસે હોય કે ન હોય, પણ મનમાં લાગણી તો એવી જ હોવી જોઇએ કે તમે અત્યારે જ એ વસ્તુના માલિક છો. તમે જાણો જ છો કે સમૃદ્ધિ માત્ર સમૃદ્ધ લોકો તરફ જ આકર્ષાય છે. ભૌતિક સ્વરૂપે તમારે જોઇતું ધન ભલે હજુ તમારી જિંદગીમાં ન આવ્યું હોય પરંતુ માનસિક સ્તરે, લાગણીની દુનિયામાં એ ધનના માલિક બની જાઓ. હક જતાવો. એ ધન, એ રકમ, એ સાધનો, સમૃદ્ધિ તમારી છે જ અને તમે અત્યારે જ ધનવાન છો એવો ખુશીનો અને સમૃદ્ધિનો અહેસાસ મનમાં જગાવો. તમે કહેશો કે ઉધારી આંટો લઇ ગઇ હોય, ખિસામાં રૂપિયા ન હોય ત્યારે આવો આવો અહેસાસ તો વળી કેવી રીતે જાગી શકે ? જાગી શકે મિત્રો, એનો પણ રસ્તો છે ઉપાય છે પણ એ આવતા અંકે...

સોના મહોર: ગરીબ હોવા કરતાં ગરીબ હોવાનો અહેસાસ વધુ ખતરનાક છે.‘

love

http://shbado.files.wordpress.com/2008/06/pbr_010sunset11.jpg


“દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં,
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં;
જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી,
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં.”

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને,
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી.

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી.

હું ઇન્તિજારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.

लव

http://gujarati.webdunia.com/newsworld/news/national/1002/08/images/img1100208017_1_1.jpg

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.

ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.